દિલ પે ચલાઈ છૂરીયા: બે પથ્થરના ટુકડાના તાલે ગીત ગાતો ‘રાજુ કલાકાર’ કોણ છે?
દિલ પે ચલાઈ છૂરીયા: બે પથ્થરના ટુકડા વડે મોજ કરાવતો ‘રાજુ કલાકાર’ કોણ છે? (ફોટો સૌજન્ય: tv9भारतवर्ष) છ-સાત વર્ષનો હતો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કીડની ઇન્સ્ટિટ્યૂટમાં દર છ મહિને ચેક અપ કરાવવા માટે જવાનું થતું હતું. હું મારા મમ્મી-પપ્પા સાથે વડોદરાથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવતા. લોકલ ટ્રેનોમાં ચણાની દાળ, ખારીસીંગ-ચણા સહિતની વસ્તુઓ વેચનારા અનેક ફેરિયા પણ જોવા મળતા હતા. એ સમયે સ્માર્ટ ફોન ન હતા. તેથી કેટલાક નાના બાળકો મનોરંજન પણ કરાવતા હતા. નાના બાળકોના મનોરંજનનું સાધન હતું તેમનો અવાજ અને હાથમાં પકડેલા પથ્થરના બે ટુકડા. નાના બાળકો ગીત ગાતાં અને હાથમાં રહેલા પથ્થરના ટુકડા વડે તાલબદ્ધ સંગીત આપતા. આમ લોકલ ટ્રેનમાં સૂર અને તાલનો સંગમ જોવા મળતો. ટ્રેનમાં આવી ત્રણેક લોકોની ટોળકી રહેતી. ત્રણ પૈકીનું એક મોટું બાળક ગીત ગાય અને તેના બાકીના ભાઇ-બહેન મનોરંજનના બદલામાં પૈસા ઉઘરાવતા. કેટલાક લોકો તેઓને પૈસા આપવાને બદલે ભણવાની સલાહ પણ આપતા. આ વાત એટલા માટે કરવી પડી કારણ કે તાજેતરમાં આવા જ બે પથ્થર વડે સંગીત રચીને ગીત ગાતો ‘રાજુ કલાકાર’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે...