નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ?
નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ? નવી દિલ્હીના જંતર મંતર ખાતે CJP અધ્યક્ષ અભિજીત દીપકેના નેતૃત્વમાં થયેલા આંદોલને ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી ‘પ્રધાન’ પદ છીનવી લીધું. જોકે, આ દિવસની વાટ જોવામાં આંદોલન પર ઉતરેલી Gen Z યુવા પેઢીને 36 દિવસ જેટલો સમય લાગ્યો. Gen Z યુવા પેઢીએ આ આંદોલનને પોતાની આગવી શૈલીથી આગળ વધાર્યું હતું. 6 જૂન 2026ના રોજ શરૂ થયેલા આંદોલનમાં 28 જૂનના રોજ જાણીતા પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક જોડાયા. સોનમ વાંગચૂકે આમરણ ઉપવાસ શરૂ કરીને આંદોલનમાં ગાંધીજીના આંદોલનની શૈલીનો ઉમેરો કર્યો. જેણે આ આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો. પરંતુ સોનમ વાંગચુકની સાથે બે આંગળીના વેઢામાં ગણાય એટલા લોકો જ ઉપવાસ પર બેઠા હતા. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશનના 6 વિદ્યાર્થી કાર્યકર્તાઓએ સોનમ વાંગચુક સાથે ઉપવાસ શરૂ કર્યો હતો. જ્યારે અભિજીત દીપકે તથા તેમના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ તથા સહપ્રવક્તા આષુતોષ રાન્કા, વિજેતા દહિયા સહિતના સભ્યો પણ ઉપવાસમાં જોડાયા ન હતા. જ્યારે દિલ્હી પોલીસ સોનમ વાંગચુકને તેમના ઉપવાસના એકવીસમા દિવસે ઉઠાવીને લઈ ગઈ ત્યારે એટલે કે 18 જુલાઈના રોજ અભિજીત દ...

.jpeg)


.jpg)
.jpg)
.jpg)


.jpg)